23 મે 2018 ના સવારે ઉઠ્યો...
સમાચાર પત્ર
વાંચ્યું...
અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...
ખરેખર બહુ દુઃખ થયું.
એવુ કરવાનું કારણ શું હોઈ શકે?
માણસ આ હદ સુધી ક્યારે અને કેવી રીતે જઈ શકે??
મિત્રો પાસે થી 3/4 કરોડ ઉછીના લીધેલા અને 8/10 કરોડ બેંક લોન લીધેલી હતી
પેલા ભાઈની દુનિયાની દેખાદેખીમા આખા ઘર ને પૈસાદાર હોય એવી લાઈફ સ્ટાઈલ ની આદત નાખેલી. પત્ની પરીવાર સાથે કંકાસ હતું કેમકે ગામ ની અટલી ઉધારી છતાં પત્ની ને દિકરી ને ભણાવવા ઓસ્ટ્રેલિયા મોકલવું હતું.... પછી પેલા ભાઈ ની સહન શક્તિ ખુટી અને પત્ની અને બન્ને દિકરી ઓની હત્યા કરી...
શું આ પરીવારનું અંત આવું જ થવું જોઈતું હતું???
આ લાલ સીગ્નલ છે આપણા બધા માટે સમજો
પોતાના સમય અને પોતાની કમાઈ વિશે સજાગ થાઓ
ઓલા ફ્રેંડ તો વિદેશ ફરવા જાય છે...
પાડોશી એ 4 બેડરૂમ વાળો ફ્લેટ લીધો.
આવી દેખાદેખી ન કરો.
પોતાના પરિવાર ની ઈન્કમ અનુસાર પોતાના ખર્ચ નક્કી કરો.
પૈસા ઉપર લઈ નથી જવાના પણ જીવન અને જવાબદારીઓ તો ધરતી પર જ નીભાવાની છે ને??
દુનિયાની દેખાદેખી કરી પોતાના જીવનના ફાલતુ ખર્ચ બંધ કરો.
પેલા એ તો પેલી મોંઘી કાર લીધી... એટલે જરૂર બચત કરો પોતાના ભવિષ્યનો જરૂર વિચાર કરો.
મૃત્યુ પરંત સમ્માન થી માથું ઊંચુ કરી ને જીવી શકીએ એવું જ જીવન સ્તર નક્કી કરો.
આપણે હાલ જે લાઈફ સ્ટાઈલ થી જીવન જીવી રહ્યા છીએ એ પોતાના સંપૂર્ણ પરિવાર સાથે આખી જિંદગી નીભાવી શકશું એવી આર્થીક વ્યવસ્થા આપણે કરી લીધી છે??????
જો જવાબ ના હોય તો હજી તમારા પાસે સમય છે ચેતી જાવ.
સાદા જીવનમાં પણ માણસ આનંદિત અને સુખી રહી શકે છે...
અરે યાર વિદેશ ન ગયા તો ન ગયા યાર...
મોટા ફ્લેટ બંગલા ગાડી ન લીધી તો ન લીધી યાર તો શું થયું??? શું ફરક પડ્યું???
જ્યાં છો ત્યાં જે ઈશ્ર્વરે આપ્યું તેમા પરિવાર સાથે હર રોજ મોજ અને આનંદ થી જીવો યાર...
🎲🎲🎲🎲🎲🎲🎲🎲🎲
Comments
Post a Comment