Skip to main content

જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો

જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો

😊 "જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો." 😊

*અરે મુકો માથાકૂટ,
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
*મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
*કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
*ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
*તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
*તમે બસ ફુલઓન મજા કરો,
*બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
*મજાથી શોખ પૂરાં કરો,
*ઉમર સામું ના જોવો,
*નાઈટઆઉટ કરો,
*વરસાદમાં હડી કાઢી નાવ,
*ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો,
*ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો,
*દૂરદૂર રખડવા જતાં રહો,
*જોવાયુ એટલું જોય લો,
*ફરી લો,
*બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો.

કોઈને નડીએ નહીં એટલે ઘણું,
બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
*થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
*માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે
 માટે જલસાથી જીવો.
મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે

"Well played boss."

Comments

Popular posts from this blog

ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

https://www.google.co.in ટાઈપ કરો askew અને સર્ચ કરો ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

બીજાનું જાય એ પાછું નથી આવતું

ભારતમાં બિસ્કીટ બનાવનાર બે કંપનીઓ ફેમસ છે... ૧) બ્રીટાનીયા (મારી/મેરી ગોલ્ડ) ૨) પારલે-જી બન્નેમાં એક લોચો છે, કદાચ તમારા ધ્યાનમાં નહિ આવ્યો હોય... એકનું બિસ્કીટ ચાના કપમાં જાતું નથી ને બીજાનું જાય એ પાછું નથી આવતું.